Appam – Guajarati

જાન્યુઆરી 28 – નવું નામ!

“હું તેના પર મારા દેવનું નામ અને મારા દેવના શહેરનું નામ લખીશ નવુ યરુસાલેમ,જે મારા દેવમાંથી સ્વર્ગમાંથી નીચે આવે છે. અને હું તેના પર મારું નવું નામ લખીશ”(પ્રકટીકરણ 3:12).

નવું નામ! જ્યારે દેવ આપણા જીવનમાં બધું નવું બનાવે છે,ત્યારે તે આપણને નવા નામ પણ આપે છે. તે આપણને તેમના વારસા તરીકે શક્તિશાળી અને ભવ્ય નામો આપે છે.ચાલો આપણે એ નવા નામના આશીર્વાદનો વારસો મેળવીએ.

‘ઇબ્રામ’ નામનો અર્થ છે ‘ઉત્તમ પિતા’. પરંતુ પ્રભુએ તે બદલ્યું અને તેને ‘ઇબ્રાહિમ’ તરીકે નવું નામ આપ્યું; જેનો અર્થ થાય છે ‘કેટલાય દેશોના પિતા’.

ઇબ્રાહિમ કે જેને એક પણ સંતાન ન હતું, તેને પૃથ્વીની ધૂળ જેવા ઇસ્માએલીઓના પિતા તરીકે અને સમુદ્ર કિનારેની રેતી જેવા ઇઝરાયલીઓના પિતા તરીકે ઊંચો કરવા પ્રભુને આનંદ થયો.અને પિતા ખ્રિસ્તીઓ જે સ્વર્ગના તારા જેવા છે.

દેવ તમારા માટે એક નવી દ્રષ્ટિ આપે છે,કારણ કે તે તમને નવું નામ આપે છે.તે તમારા હૃદયમાં નવી અપેક્ષાઓ અને વિશ્વાસની નવી ઘોષણા મૂકે છે.તેણે ‘સરાય’નું નામ બદલીને તેને નવું નામ આપ્યું: ‘સારા’. અને તે દ્વારા તે બધા વિશ્વાસુઓની માતા બની.

શાસ્ત્રમાં નવા નામો અપાયાના અસંખ્ય ઉદાહરણો છે. ફારુને યુસુફને સફનાથ-પાનેહ તરીકે નવું નામ આપ્યું (ઉત્પત્તિ 41:45). સુલેમાને યદિદયા તરીકે નવું નામ આપવામાં આવ્યું હતું (2 સેમ્યુઅલ 12:25). બાબીલોન રાજ્યના કર્મચારીના વડાએ ઇઝરાયલમાંથી લાવવામાં આવેલા યુવાનોને નવા નામ આપ્યા. “પરંતુ રાજાના મુખ્ય ખોજાએ તેમનાં નામ અનુક્રમે દાનિયેલને બેલ્ટશાસ્સાર,હનાન્યાને શાદ્રાખ, મીશાએલને મેશાખ અને અઝાર્યાને અબેદ-નગો પાડ્યાં.” (દાનિયેલ 1:7).

નવા કરારમાં, ગુસ્સાળ અને અસ્થિર પીતર પછીના દિવસોમાં કેફા તરીકે બદલાઈ ગયો હતો; જેનો અર્થ ખડક. ખ્રિસ્ત ઈસુએ ઝબદીનો દીકરો યાકૂબ અને યોહાન ઈસુએ તેઓને બને-રગેસ એટલે ‘ગર્જનાના પુત્રો’ નામ આપ્યા; (માર્ક 3:17). નવા નામના દરેક કિસ્સામાં, તેણે તેમની લાક્ષણિકતાઓ બદલી અને તેમને નવી અપેક્ષાઓ આપી.

પવીત્ર શાસ્ત્ર કહે છે:“સર્વ પ્રજાઓ તારું ન્યાયીપણું જોશે. તારા મહિમાથી તે રાજાઓની આંખો અંજાઇ જશે; અને યહોવા તને એક નવું નામ આપશે.” (યશાયાહ 62:2).

દેવના બાળકો,પ્રાર્થના કરો અને દેવ દ્વારા તમને આપવામાં આવેલા નવા નામનો દાવો કરો.જ્યારે દેવ જીવનના પુસ્તકમાં નામો લખે છે,ત્યારે તે વિચિત્ર દેવોના નામ લખતા નથી.તે ફક્ત નવા નામો જ લખશે જે તે તમને આપે છે.અને તે નવું નામ તમારા માટે એક મહાન આશીર્વાદ હશે.

વધુ ધ્યાન માટે વચન:“ “પ્રત્યેક વ્યક્તિ જે વિજય પ્રાપ્ત કરે છે તેને હું ગુપ્ત રાખેલ માન્ના આપીશ.વળી  હું તને શ્વેત પથ્થર આપીશ. આ પથ્થર પર એક નવું નામ લખેલું છે, જે નવા નામને કોઈ વ્યક્તિ જાણતી નથી. ફક્ત જે વ્યક્તિ તે પથ્થર પ્રાપ્ત કરશે તે જ તે નવું નામ જાણશે” (પ્રકટીકરણ 2:17).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.