bo togel situs toto musimtogel toto slot musimtogel musimtogel musimtogel masuk musimtogel login musimtogel toto
Appam – Guajarati

જાન્યુઆરી 15 – નવી છબી

“અને જેમ આપણે ધૂળના માણસની છબી ધારણ કરી છે, તેમ આપણે સ્વર્ગીય માણસની છબી પણ ધારણ કરીશું” (1 કોરીંથી 15:49).

દેવે તમારામાંના દરેકને એક નવી છબી આપી છે, જેઓ ખ્રિસ્તમાં નવી રચના બની છે. તે છબી દેવ ઇસુ ખ્રિસ્તની છબી જેવી છે. સ્વર્ગના દેવની છબી. તમે પણ સ્વર્ગના લોકોના રૂપમાં રૂપાંતરીત થાઓ છો.

કેટલાક વર્ષો પહેલા, મેં એક મેગેઝિનમાં એક સમાચાર વાંચ્યા. તે શ્યામ રંગ ધરાવતી છોકરીને લગ્નમાં આપવાના પરિવારના પ્રયત્નો વિશેનો અહેવાલ હતો. ઘણા લોકોએ તેણીના શ્યામ રંગને ટાંકીને તેને નકારી કાઢી હતી. છેવટે, તેના માતા-પિતાએ તેના લગ્ન કરવા માટે, એક સાદી પૃષ્ઠભૂમિના વરને મોટું દહેજ આપવું પડ્યું. પરંતુ તેના નવા ઘરમાં પણ, તેણીને તેના રંગને કારણે છોડી દેવામાં આવી હતી અને અવગણવામાં આવી હતી. આવો અસ્વીકાર સહન ન થતાં આખરે તેણીએ આત્મહત્યા કરીને જીવનનો અંત આણ્યો હતો. જ્યારે મેં એ અહેવાલ વાંચ્યો, ત્યારે હું મારા હૃદયમાં ખૂબ જ વ્યથિત થયો. સોલોમનના ગીતમાંથી ફક્ત એક જ વચન જે કહે છે: “હું શ્યામ છું, પણ સુંદર છું”, મારા મગજમાં આવ્યુ.

જ્યારે તમે હજી પણ દુનિયામાં છો, આદમમાં, તમે પાપોથી અંધારામા છો. પરંતુ દેવ ઇસુએ તમને ક્યારેય નકાર્યા નથી પરંતુ તમારા માટે ખૂબ પ્રેમ હતો અને તમારા આત્માના પ્રેમી તરીકે તમારી શોધમાં આવ્યા હતા. તમારા બધા પાપો અને શ્રાપ તેમના કિંમતી લોહીના ટીપાં દ્વારા ધોવાઇ ગયા હતા, અને તમે સુંદર બન્યા હતા. જ્યારે તમે આદમમાં શ્યામ અને કદરૂપા હતા, ત્યારે તમને ખ્રિસ્તમાં સુંદર બનાવવામાં આવ્યા હતા.

આદમ અને ખ્રિસ્ત બંનેનું પાત્ર તમારામાં જોવા મળે છે, તમારા જીવનના તમામ દિવસોમા. પરંતુ એક દિવસ રણશિંગડું વાગશે. “રણશિંગડું ફૂંકાશે અને જે વિશ્વાસીઓ મૃત્યુ પામ્યા છે તે ચિરંતનકાળ પર્યંત જીવવા પુર્નજીવિત થશે. અને આપણે જે જીવંત છીએ તે પણ પરિવર્તન પામીશું. અને આ શરીર જે મૃત્યુ પામે છે તેણે તેને અમરપણું પરિધાન કરેલું હોવું જોઈએ” (1 કરીંથી 15:52-53).

રણશિંગડું વગાડવામાં આવે તે ક્ષણથી, તમારી પાસે એક નવી છબી હશે. બધા દુન્યવી પાત્ર અને છબી દૂર થઈ જશે અને તમને સ્વર્ગીય છબી પહેરા વામાં આવશે. તમે હવે શ્યામ અને કદરૂપા નહીં બનો પણ આપણા પ્રભુ ઈસુની જેમ સુંદર રૂપમાં રૂપાંતરિત થશો.

પવીત્ર શાસ્ત્ર આપણને કહે છે: “આપણે જાણીએ છીએ કે જ્યારે તે પ્રગટ થાય છે, ત્યારે આપણે તેના જેવા હોઈશું, કારણ કે આપણે તેને જેમ છે તેમ જોઈશું” (1 યોહાન 3:2). સ્વર્ગીય રૂપમાં, કોઈ ડાઘ કે કરચલી નહીં હોય, અને તમે નિષ્કલંક હશો. અને તમે તમારી ભવ્ય પ્રતિમામાં ચમકશો. તે દિવસ કેટલો મહાન હશે!

વધુ ધ્યાન માટે વચન:”જુઓ, હું નવું આકાશ અને નવી પૃથ્વી બનાવું છું; અને પહેલાને યાદ કરવામાં આવશે નહીં કે મનમાં આવશે નહીં” (યશાયાહ 65:17)

Leave A Comment

Your Comment
All comments are held for moderation.