bo togel situs toto musimtogel toto slot musimtogel musimtogel musimtogel masuk musimtogel login musimtogel toto
Appam – Guajarati

ઓક્ટોબર 28 – જાગો, ચમકો!

ઓ નિદ્રાધીન વ્યક્તિ, તું જાગ! મૃત્યુમાંથી ઊભો થા, ખ્રિસ્ત તારા પર પ્રકાશિત થશે.” (એફેસી 5:14).

હવે સમય આવી ગયો છે કે આપણે ઝડપી કાર્યવાહી કરીએ. શું આપણે આ ઘડીએ ઉંઘી શકીએ છીએ જેમાં આપણે ઝડપી કાર્ય કરવાનું છે? હવે તે સમય છે જેમાં આપણે દેવ માટે ઉઠવું અને ચમકવું પડશે. તે નથી? શાસ્ત્ર તમને ઉતાવળમાં કહે છે કે, “જાગો, તમે ઉંઘો છો, મૃત્યુમાંથી  ઉભા થાઓ.”

આજે, ઘણા ચર્ચો સૂઈ રહ્યા છે. બેજવાબદારી એનું કારણ છે. જેમ કે શેતાન ઉંઘવા માટે લોરી ગાય છે, વિશ્વાસીઓ ઉપદેશોના ચક્કરમાં સ્વપ્ન જોતા હોય છે. વિશ્વાસીઓ સિનેમા જેવા પાપી આકર્ષણોથી પ્રભાવિત થાય છે.

દાઉદે આંસુ સાથે પ્રાર્થના કરતા કહ્યું, “હે દેવ મારા દેવ, મારો વિચાર કરો અને સાંભળો; મારી આંખોને પ્રકાશિત કરો, નહીં તો હું મરણની ઉંઘમાં પડું “(ગીતશાસ્ત્ર 13:3). શું તમે પણ એ જ રીતે પ્રાર્થના કરશો?

સામસુનની ઉંઘનું ધ્યાન કરો. ખરેખર, તે દેવનો માણસ હતો, જે દેવ દ્વારા પસંદ કરાયો હતો અને જેણે નાઝીરી વ્રતનું પાલન કર્યું હતું. તેને ઇઝરાયેલનો ન્યાય કરવા માટે બોલાવવામાં આવ્યો હતો. પરંતુ, આ બધી સારી બાબતો વચ્ચે, વ્યભિચારની ભાવનાએ તેના હૃદયને પકડી રાખ્યું. તે વેશ્યા દલીલા તરફ દોડ્યો.

પવીત્રશાસ્ત્ર કહે છે, ” દલીલાહે સામસૂનને પોતાના ખોળામાં ઊધાડી દીધો અને એક માંણસને બોલાવી તેના વાળની સાત લટો બોડાવી નખાવી; આ રીતે દલીલાહે તેને નિર્બળ બનાવી    દીધો અને તેની તાકાત તેને છોડી ચાલી ગઈ “(ન્યાયાધીશો 16:19). તેણે, જે દેવ માટે ઉભો અને ચમકવાનો હતો, તેણે અડધો રસ્તો છોડી દેવો પડ્યો.

એલિયાની ઉંઘ જુઓ. તે દેવનો કેટલો શક્તિશાળી પ્રબોધક હતો! તે તે હતો જેણે બાલના ચારસો પચાસ પ્રબોધકોને પડકાર ફેંકક્યો અને સાબિત કર્યું કે યવોહા જ દેવ છે.પરંતુ, તે માનસિક થાકથી પણ પ્રભાવીત હતો. તે સાવરણીના ઝાડ નીચે સૂવા લાગ્યો.

પરંતુ, દેવે તેને આમ કરવા દીધું નહીં. દેવે એક દેવદૂત મોકલીને તેને કહ્યું કે આ યાત્રા તેના માટે ખૂબ જ મહાન હતી. જ્યારે દેવ માટે ઘણી બધી બાબતો કરવાની હોય ત્યારે ઉંઘમાં તમારો સમય બગાડો નહીં.

જોના સુઈ જવાની ઘટના જુઓ. આત્માનો ભાર તેને દબાવતો ન હતો. જો તે દેવની આજ્ઞાનું પાલન કરીને નિનવેહ ગયો હોત, તો તેણે અસંખ્ય આત્માઓ મેળવ્યા હોત. દેવની આજ્ઞા પાળવાને બદલે તેમણે ઉંઘને મહત્વ આપ્યું. દેવના પ્રિય બાળકો, જાગો અને દેવ માટે ચમકશો.

ધ્યાન કરવા માટે: “પછી ઈસુ તેના શિષ્યો પાસે ગયો. તેણે તેઓને ઊંઘતા જોયા.તેણે પિતરને કહ્યું, “સિમોન, તું શા માટે ઊંઘે છે? તું મારી સાથે એક કલાક જાગતો ના રહી શક્યો. જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમને લલચાવવામાં ન આવે. “(માર્ક 14:37,38).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.