Appam – Guajarati

ફેબ્રુઆરી 22 – વખાણ દ્વારા ચમકવું!

“વાજિંત્રો વગાડનારા અને ગીત ગાનારા એક સૂરે યહોવાની આરાધના કરતા હતા. અને આભાર માનતા હતા. તેઓના ગીતો સાથે રણશિંગડા, ઝાંઝ, અને અન્ય વાજિંત્રોનો મોટો અવાજ દૂર સુધી ફેલાતો હતો. તેઓ સર્વ પણ યહોવાની સ્તુતિ કરતા હતા, અને આભાર માનતા હતા: “દેવ ઉત્તમ છે! તેમનો પ્રેમ સર્વકાળ ટકે છે.” (2 કાળવૃતાંત. 5:13)

જો કોઈ વ્યક્તિએ દેવ માટે ઉભા થઈને ચમકવું જોઈએ, તો તેણે પ્રાર્થનામાં શ્રેષ્ઠ હોવું જોઈએ. જ્યારે તમે દેવની આટલી ભક્તિ અને સન્માન કરો છો ત્યારે દેવ જે સ્તુતીઓની વચ્ચે રહે છે જે તમને તેમની મહીમાથી ભરી દેશે અને તેના માટે ઉભા થવા માટે તથા ચમકવા માટે તૈયાર  કરશે.

દેવનો આશય અને અપેક્ષા એ છે કે તમે તેમની સ્તુતિ કરો અને તેમની પ્રાથના કરો. તેમની અપેક્ષા નીચેના વચનમાં સમાયેલી છે. “આ લોકો મેં મારા માટે રચ્યા છે; તેઓ મારી સ્તુતિ જાહેર કરશે” (યશાયા43:21).

જ્યારે તમે આ દુનિયામાં હોવ ત્યારે તમારે તેમની સ્તુતિ કરવી જોઈએ અને તમારે સ્વર્ગમાં તેમની પ્રશંસા અને પ્રાર્થના કરવાનું ચાલુ રાખવું જોઈએ.જો તમે પૃથ્વી પરના સાથી વિશ્વાસીઓ સાથે દેવની ઉપાસના કરો છો,તો તમે સ્વર્ગમાં દેવના દૂતો અને કરૂબીમ સાથે હાથ જોડીને તેમની પ્રશંસા અને પ્રાર્થના કરશો.

તમારી પ્રશંસા અને પ્રાર્થના,તમારા અભિષેકને ઉત્તેજિત કરે છે.તેથી જ પ્રભુ આપણને વચન આપે છે અને કહે છે:“ જુઓ, પૃથ્વી પર હજી અંધકાર છવાયેલો છે અને લોકો હજી ઘોર તિમિરમાં છે, પણ તારા પર યહોવા ઉદય પામે છે અને તેનો મહિમા તારા પર પ્રગટે છે.” (યશાયાહ 60:2) તિમોથીને લખેલ પત્રમાં પાઉલ કહે છે હું તમને મારા હાથ મૂકવા દ્વારા દેવની ભેટને ઉત્તેજીત કરવા માટે યાદ કરાવું છું.(2 તિમોથી 1:6)

જ્યારે તમે પાઈપ વડે જીવંત કોલસો અથવા અંગાર ફૂંકો છો, ત્યારે આગ પ્રજ્વલિત થાય છે અને તે જોરથી ચમકવા લાગે છે.પ્રસંસા અને પ્રાર્થના તમારી અંદર રહેલા પવીત્ર આત્માની આગને ઉત્તેજીત કરશે એ જ રીતે.

તમારી નાની ઉંમરથી જ તમને તેમની પાસેથી મળેલી બધી ભલાઈ માટે દેવનો આભાર માનો. ભવ્ય આકાશ તરફ જુઓ અને તેમની સ્તુતિ કરો. સૂર્ય અને ચંદ્ર અને આકાશમાંના તારાઓ માટે તેમની સ્તુતિ કરો.

તમારા જીવનમાં દરરોજ પ્રાર્થના ગીતો ગાતા રહો. જ્યારે તમે આત્મા અને સત્યતાથી પ્રાર્થના કરો છો, ત્યારે તે તમારી અંદર દેવની હાજરી લાવશે  અનેતમને દેવ માટે  ઉભા થવા અને ચમકવા માટે મદદ કરશે. પ્રભુના આગમનના દિવસ સુધી તમારો અભિષેક વધતો રહેવો જોઈએ. તમારી અંદર પવિત્ર આત્માનો અગ્નિ અને દેવનો મહિમા વધવો જોઈએ.

દેવનું કાર્ય કરવાની જરૂર હોય ત્યારે તમે આળસુ ન થાઓ. અને જ્યારે દેવની સેવા કરો ત્યારે પૂર્ણ આધ્યાત્મિક ઉત્સાહ સાથે કરો. (રોમન 12:11) જો તમારે દેવ માટે ઉભા થવાની અને ચમકવાની જરૂર હોય. આપણે ચર્ચમાં પણ જોઈએ છીએ કે જેઓ વખાણ અને ઉપાસના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે તેઓ જ ખીલે છે અને કદમાં વૃદ્ધિ પામે છે.

આપણે આ અંતિમ સમયમાં પણ જોઈએ છીએ, કે દેવના ઘણા બાળકો તેમના વખાણ અને ઉપાસના દ્વારા દેવ માટે ઉભા થાય છે અને ચમકતા હોય છે. દેવના બાળકો  તમારે પણ દેવ માટે ઉભા થવુ જોઇએ અને ચમકવું જોઇએ.

વધુ ધ્યાન માટે વચન:” તમારા સેવક પર તમારા મુખનો પ્રકાશ પાડો; અને તમારા બધાં નિયમો મને શીખવો.” (ગીતશાસ્ત્ર 119:135).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.