bo togel situs toto musimtogel toto slot musimtogel musimtogel musimtogel masuk musimtogel login musimtogel toto
Appam – Guajarati

ફેબ્રુઆરી 19 – પ્રિય!

“પ્રિય, હું પ્રાર્થના કરું છું કે તમે બધી બાબતોમાં સમૃદ્ધ થાઓ અને તંદુરસ્ત રહો,જેમ તમારો આત્મા સમૃદ્ધ થાય છે” (3 યોહાન 1:2).

યોહાનનો ત્રીજો પત્ર ફક્ત એક જ પ્રકરણ ધરાવે છે,અને તે બાઇબલનું ચોસઠમું પુસ્તક છે. પ્રેરીત યોહાન, જે શિષ્યને ઈસુ પ્રેમ કરતા હતા,તે આપણને ‘પ્રિય’ કહીને બોલાવે છે,અને આપણને આશીર્વાદ આપતા કહે છે:”હું પ્રાર્થના કરું છું કે તમે બધી બાબતોમાં સમૃદ્ધ થાઓ અને તંદુરસ્ત રહો,જેમ તમારો આત્મા સમૃદ્ધ થાય છે”.

શિષ્ય યોહાન માત્ર પ્રભુને જ પ્રેમ કરતો ન હતો પણ તે પ્રભુના લોકોને પણ પ્રેમ કરતો હતો. જ્યારે તમે યોહાનની સુવાર્તા અને તેણે લખેલા ત્રણ પત્રો વાંચો છો, ત્યારે તમે દેવ, વિશ્વાસીઓ અને ચર્ચ પરના તેમના મહાન પ્રેમને સમજી શકો છો.આવા દૈવી પ્રેમે તેમને ‘પ્રભુના પ્રિય’ બનાવ્યા.

અને તે શિષ્ય જેને ઈસુ પ્રેમ કરતા હતા,તે આજે આપણને ‘પ્રિય’ તરીકે બોલાવે છે.જો દેવ પોતે આપણને ‘પ્રિય’ તરીકે બોલાવે તો આપણે કેટલા ખુશ થઈશું? દેવના બાળકો, તમારે નમ્ર બનવું જોઈએ અને તેમની હાજરીમાં તમારી જાતને સમર્પિત કરવી જોઈએ, જેથી તમે દેવના પ્રિય બનની શકો.

‘પ્રભુના પ્રિય’ બનવા માટે, તમારે તમારા આત્માના અનંત જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.શું તમારો આત્મા જીવનથી ભરેલો છે,અથવા તે જીવન વિના જોવા મળે છે, ભલે તમે શારીરિક રીતે જીવતા હોવ? શું તમારા આત્મામાં મુક્તિનો ભવ્ય અને આનંદકારક પોકાર છે, અથવા તે અંધકારમાં ડૂબી ગયો છે? શું તમારો આત્મા નિશ્ચિતપણે સ્થાપિત છે અથવા તે નિર્જીવ અને સુકાઈ ગયો છે?

તે તમારા આત્માને પુનર્જીવિત કરવા અને જીવન આપવા માટે છે, કે પ્રભુએ ક્રુસ પર તેમનું જીવન અર્પણ કર્યું. પવીત્ર શાસ્ત્ર કહે છે:”અને તેણે તમને જીવંત કર્યા, જેઓ ગુનાઓ અને પાપોમાં મરેલા હતા” (એફેસી 2:1).

પવીત્ર શાસ્ત્ર એમ પણ કહે છે: “હા, ભૂતકાળમાં તમે જગત જે રીતે જીવે છે તે રીતે જીવ્યા અને તે અપરાધોમાં તમે દુષ્ટ વાયુની સત્તાના અધિકારીને અનુસર્યા. અને જે લોકો દેવના આજ્ઞાંકિત નથી તેમને તે જ આત્મા અત્યારે પ્રભાવિત કરી રહ્યો છે. ભૂતકાળમાં આપણી પાપી જાતને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરીને તે લોકોની જેમ જ આપણે જીવતા હતા. આપણા શરીર અને મનની બધી જ લાલસા સંતોષવા આપણે બધું જ કરતા હતા. આપણે દુષ્ટ લોકો હતા અને તે માટે આપણે દેવના ક્રોધને યોગ્ય હતા કારણ કે બીજા બધા લોકોના જેવા જ આપણે હતા. પરંતુ દેવની દયા મહાન છે, અને આપણા પ્રત્યેનો તેનો પ્રેમ ગાઢ છે. આપણે દેવની વિરુંદ્ધ જે અનુચિત વ્યવહાર કરેલો તે કારણે આત્મિક રીતે આપણે મરી ચૂક્યા હતા.પરંતુ દેવે આપણને ખ્રિસ્તની સાથે નવું જીવન આપ્યું,તેની કૃપાથી તમારો ઉદ્ધાર થયો છે.” (એફેસી 2:2-5).

દેવના બાળકો,શું તમે એવું જીવન જીવો છો કે જે દેવને પસંદ છે?તમારું શરીર દેવને પવિત્ર થવું જોઈએ અને તેમનું મંદિર હોવું જોઈએ,અને તમારો આત્મા જીવંત રહેશે.તો જ, તમે ઘણા આત્માઓને ખ્રિસ્ત ઈસુ તરફ દોરી શકશો.

વધુ ધ્યાન માટે વચન:” તેઁ પ્રાર્થના કરવાનું શરૂ કર્યું એ જ ક્ષણે દેવે તેનો ઉત્તર આપ્યો અને તે ઉત્તર તને કહેવા માટે હું અહીં આવ્યો છું, કારણ કે તમે ખૂબ જ પ્રિય છો” (દાનિયેલ 9:23)

Leave A Comment

Your Comment
All comments are held for moderation.