bo togel situs toto musimtogel toto slot musimtogel musimtogel musimtogel masuk musimtogel login musimtogel toto
Appam – Guajarati

ફેબ્રુઆરી 04 – બલિદાન જે દેવને ખુશ કરે છે!

“અને પછી તમારી વેદી પર,ગોધાઓનું અર્પણ થશે, અને તમને ન્યાયીપણાના યજ્ઞોથી,દહનાર્પણ તથા અખંડ દહનાર્પણોથી પ્રસન્ન કરાશે.”(ગીતશાસ્ત્ર 51:19)

બે માણસો મંદિરમાં પ્રાર્થના કરવા ગયા,એક ફરોશી અને બીજો કર ઉઘરાવનાર.ફરોશીએ તેના સ્વ-ન્યાયીપણાની બડાઈ કરી અને વિસ્તૃત રીતે પ્રાર્થના કરી.પરંતુ કર ઉઘરાવનાર,દૂર ઊભો રહીને,સ્વર્ગ તરફ તેની આંખો ઊંચકવા જેટલો પણ નહીં,પણ તેની છાતી મારતા કહે છે,’દેવ, મુજ પાપી પર દયા કરો! (લુક 18:10-13).

દેવ ફરોશીના ‘સારા કાર્યો’થી ખુશ ન હતા.તેમની આંખોમાં,કર ઉઘરાવનાર ન્યાયી ઠેરવતા ઘરે પાછો ગયો  જેમણે પસ્તાવો કરી હૃદય સાથે તેમની પ્રાર્થના રેડી.જ્યારે તમે દેવની કૃપાને તમારા પર કાર્ય કરવાની મંજૂરી આપો છો,ત્યારે તમારી અંદર એક પસ્તાવાની આત્મા ઉત્પન્ન થાય છે.

હૃદયની કઠિનતા બદલવા માટે,અને પસ્તાવાની આત્મા રાખવા માટે,તમારે તમારી બધી ભાંગી પડતી સ્થિતિમાં,બલિદાન તરીકે પોતાને અર્પણ કરવું જોઈએ.પવીત્રશાસ્ત્ર આપણને આ હાંસલ કરવાના ત્રણ માર્ગો અને માધ્યમો વિશે જણાવે છે.

પ્રથમ,દેવ શબ્દ દ્વારા.આપણે શાસ્ત્રમાં વાંચ્યું છે કે જ્યારે પ્રેરિત પીતર પવિત્ર આત્માના અભિષેકથી ભરાઈ ગયા અને દેવનો શબ્દ બોલ્યા,ત્યારે જે લોકો સાંભળતા હતા તેઓનું હૃદય કપાઈ ગયું (પ્રેરિતોનાં કૃત્યો 2:37). દેવનો શબ્દ એક હથોડા જેવો છે જે ખડકને ટુકડાઓમાં તોડી નાખે છે અને પથ્થરના હૃદયને પણ તોડી નાખે છે. પવીત્ર શાસ્ત્ર કહે છે:“કેમ કે દેવનો શબ્દ જીવંત છે અને ક્રિયાશીલ છે. બેધારી તરવાર કરતાં પણ તે વધુ તીક્ષ્ણ છે. તે જીવ અને આત્માને જુદા પાડે છે. સાંધા અને મજ્જાના બે ભાગ કરે છે.અને આપણાં હ્રદયના ઊંડા વિચારોનો ન્યાય કરે છે અને હ્રદયના વિચારો અને ભાવનાઓને પારખનાર છે.”(હિબ્રૂ 4:12).

બીજું,પવિત્ર આત્મા તમારી અંદર તૂટેલા હ્રદયની અને પસ્તાવાની ભાવના લાવે છે. પવીત્ર શાસ્ત્ર કહે છે:“ હું તેમનું હૃદય પરિવર્તન કરી નાખીશ અને તેમનામાં નવો આત્મા પૂરીશ, હું તેમનામાંથી પથ્થર જેવું હૃદય લઇને, તેમને માંસનું હૃદય આપીશ” (હિઝેકીએલ 11:19).જ્યારે તમે પવિત્ર આત્માને તમારી અંદર પ્રાર્થના અને મધ્યસ્થી કરવાની મંજૂરી આપો છો,નિઃસાસા સાથે,ત્યારે તમે દેવની હાજરીથી ઢંકાઈ જાઓ છો.અને દેવની હાજરી જે પર્વતોને મીણની જેમ પીગાળે છે,તે તમારા સખત અને પથ્થરવાળા હૃદયને પણ પીગાળી દેશે.(ગીતશાસ્ત્ર 97:5).

ત્રીજું,કસોટીઓ અને વિપત્તિઓ તમારા હૃદય અને આત્માને તોડી નાખે છે.જ્યારે તમે હન્નાના જીવન પર નજર નાખો છો,ત્યારે તે બાળક ન હોવાની પીડામાંથી પસાર થઈ રહી હતી.આ ઉપરાંત તેણીના હરીફે પણ તેણીને ઉશ્કેરણી કરી હતી અને તેણીને કંગાળ બનાવી હતી જેનાથી તેણીનું હૃદય તૂટી ગયું હતું.

તેથી,હન્નાએ તેના ઉદાસી આત્મામાં,દેવની હાજરીમાં તેનો આત્મા રેડ્યો (1 શમુએલ 1:15). અને આવી પ્રાર્થનાને લીધે,તેને દેવની નજરમાં કૃપા મળી. દેવે પણ તેને પુષ્કળ આશીર્વાદ આપ્યા અને તેને મહાન પ્રબોધક શમુએલની માતા બનવાનો લહાવો આપ્યો.

વધુ ધ્યાન માટે વચન:“ખમીરવાળી રોટલી આભાર અર્પણ તરીકે અર્પણ કરો અને તમારી મરજી મુજબના અર્પણો ક્યારે લાવશો તેની જાહેરાત કરો.કારણકે હે ઇસ્રાએલીઓ,આમ કરવું તમને ગમે છે.”(આમોસ 4:5).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.