Appam – Guajarati

જાન્યુઆરી 22 – નવી ભાષા!

“અને જે લોકો વિશ્વાસ કરે છે તેઓ સાબિતી તરીકે આવા પ્રકારના ચમત્કારો કરવા સમર્થ થશે. તેઓ લોકોમાંથી અશુદ્ધ આત્માઓને બહાર કાઢવા મારા નામનો ઉપયોગ કરશે. તેઓ કદી શીખ્યા નથી તેવી ભાષાઓમાં બોલશે.” (માર્ક 16:17).

નવા વર્ષમાં, દેવ તમારા શબ્દો અને તમારી ભાષાને પણ નવી કરશે અને તેમને મધુર અને આકર્ષક બનાવશે.

પહેલાના સમયમાં તમારી પાસે માનવીય આત્મા હતી.પરંતુ એકવાર તમે ખ્રિસ્ત ઈસુને તમારા દેવ અને તારણહાર તરીકે સ્વીકાર્યા પછી, ખ્રિસ્ત તમારામાં દેવના આત્મા તરીકે અને ગૌરવની આશા તરીકે આવે છે.પવિત્ર આત્મા તમને તેમના મંદિર અને તેમના નિવાસ સ્થાનમાં ફેરવે છે.અને તે તમારી અંદર રહે છે.જ્યારે તમારી અંદર નવો આત્મા હોય છે, ત્યારે તમારી પાસે નવી ભાષા હોય તે સ્વાભાવિક છે.

પ્રબોધક બલામ,જ્યારે તેણે ઇઝરાયેલીઓ તરફ જોયું ત્યારે ઉત્સાહિત થયો અને કહ્યું:”તેમના દેવ તેમની સાથે છે, અને રાજાનો પોકાર તેમની વચ્ચે છે” (ગણના 23:21). આ માટીના વાસણોમાં તમને ગૌરવની આત્મા પ્રાપ્ત થઈ છે. અને જે શબ્દો તે બોલે છે;તેઓ રાજાના વિજયી પોકાર તરીકે બહાર આવે છે.આ નવા ઉચ્ચાર અથવા નવી ભાષાઓ છે જે તમને આપવામાં આવે છે.

આ કહેવત કેટલી સાચી છે: “કેમ કે તેનું મુખ હૃદયના વિપુલ પ્રમાણમાં બોલે છે”? દારૂના નશામાં ધૂત એક શરાબી આટલી અસંગત વાત કરે છે. પરંતુ તમારું હૃદય દૈવી પવિત્ર આત્માથી ભરેલું છે; અને રાજાઓના રાજાની હાજરી સાથે. એટલે તમે નવી ભાષામાં બોલો છો; વિવિધ પ્રકારની ભાષાઓ અને અન્ય ભાષાઓમાં.

પ્રેરીત પાઊલને માણસોની ભાષામાં,દૂતોની ભાષાઓ અને સ્વર્ગીય ભાષામાં બોલવામાં આનંદ હતો.તેણે કરીંથના ચર્ચને અન્ય ભાષામાં બોલવા માટે પ્રોત્સાહિત કર્યા.તે એમ પણ કહે છે:”તમારા બધા કરતા વિવિધ પ્રકારની ભાષા બોલવાની મારી શક્તિ વિશેષ છે,તે માટે હું દેવનો આભારી છું.” (1 કરીંથી 14:18).

તમારા જીવનમાં એક સુંદર પરિવર્તન આવે છે,કારણ કે તમે નવી ભાષામાં બોલો છો.અને તમે મોટા પ્રમાણમાં સંપાદિત થયા છો. પવીત્ર શાસ્ત્ર કહે છે:”જે વ્યક્તિ અન્ય ભાષા બોલે છે તે માત્ર પોતાની જાતને જ મદદરુંપ થાય છે, પરંતુ પ્રબોધક તો આખી મંડળીને મદદરુંપ થાય છે.” (1 કરીંથી 14:4).

હા, જેમને છોડાવવામાં આવ્યા છે તેઓએ પોતાની જાતને પવિત્ર કરવી જોઈએ. આ માટે સ્થીરતા ખૂબ જ જરૂરી છે. જ્યારે તમે ઉન્નત થાઓ છો, ત્યારે ભેટો અને આત્માની શક્તિ,તમારા જીવનમાં જોરદાર રીતે કાર્ય કરે છે.જે અન્યભાષામાં બોલે છે,તે માત્ર અન્ય વિશ્વાસીઓને ઉન્નત જ કરે છે પણ આરામ અને શાણપણના શબ્દો પણ બોલે છે.

દેવના બાળકો, શું તમે અન્ય ભાષામાં બોલવામાં આનંદ કરશો, જે દેવે તમને કૃપાળુ ભેટ તરીકે આપી છે? નવી ભાષામાં બોલો અને સ્વર્ગ સાથે સંગતી કરો.

વધુ ધ્યાન માટે વચન:“ તે શા માટે તે હું સમજાવીશ: જે વ્યક્તિમાં અન્ય ભાષાઓ બોલવાની ક્ષમતા છે તે લોકોને સંબોધતા નથી પરંતુ તે દેવને સંબોધે છે.તે વ્યક્તિને કોઈ સમજી શકતું નથી.કારણ કે આત્મા થકી તે મર્મો વિષે બોલે છે.” (1 કરીંથી 14:2)

Leave A Comment

Your Comment
All comments are held for moderation.