No products in the cart.
જાન્યુઆરી 10 – નવો આનંદ!
“હે દેવ,ઋતુંનો પાક જોઈ લોકો પ્રસન્નતા પામે છે. પરંતુ તે કરતાં અધિક પ્રસન્નતા તમે મારા હૃદયમાં મૂકી છે.” (ગીતશાસ્ત્ર 4:7).
જે કૃપાના સિંહાસન પર બિરાજમાન છે તે બધું નવું બનાવે છે.અને જ્યારે તે નવુ કરે છે, ત્યારે તે નવો આનંદ પણ આપે છે. તે એક મહાન અને અનેક ગણો આશીર્વાદ છે! જ્યારે તમે દેવના બાળક બનશો, ત્યારે તમને લાગશે કે આખું સ્વર્ગ તમારામાં આવે છે; અને તમારું હૃદય આનંદ માટે કૂદી પડે છે.
નવા આનંદના ઘણા પ્રકારો છે:પાપોની ક્ષમાનો આનંદ, મુક્તિનો આનંદ અને પવિત્ર આત્માનો આનંદ. દુનિયા આ દિવ્ય આનંદ આપી શકતી નથી.
દરરોજ વહેલી સવારે,તમે દેવના ચરણોમાં બેસીને,તમે દેવની હાજરીમાં લપેટાઈ જાઓ છો;અને તમે નવા આનંદથી ભરપૂર થાવ છો.
મૂસાના જીવનમાં જૂના અને નવા આનંદ વચ્ચે ઘણો તફાવત હતો. પવીત્ર શાસ્ત્ર કહે છે: ” વિશ્વાસથી મૂસા મોટો થયો અને મોટા થયા પછી પોતાને ફારુંન રાજાની દીકરીનો પુત્ર ગણાવવાની ના પાડી. મૂસાએ પાપનું ક્ષણિક સુખ ભોગવવાને બદલે તેણે વિશ્વાસથી દેવના લોકોની સાથે મુશ્કેલીઓ વેઠવાનું આનંદથી પસંદ કર્યું.” (હિબ્રુ 11:24- 25).
હા,તે ભૂતકાળમાં પાપના ક્ષણિક આનંદનો આનંદ માણતો હતો.પરંતુ જ્યારે પ્રભુએ તેને બોલાવ્યો, ઇઝરાયલીઓના મુક્તિ માટે ઉપયોગમાં લેવા માટે,તેણે દેવના લોકો સાથે દુઃખ સહન કરવાનું પસંદ કર્યું; અને તેને તે પોતાનો વિશેષાધિકાર અને આનંદ માને છે.
કોઈ વ્યક્તિ છૂટકારો મેળવે તે પહેલાં, બની શકે છે કે તેને દારૂ પીવામાં,મોજમસ્તી,અને વ્યભિચારમાં ખુશી મળી હશે.તેને કદાચ દુન્યવી મિત્રો સાથે સમય વિતાવવામાં અને પાપી આનંદમાં તેનો આનંદ મળ્યો હશે. પરંતુ તે બધા સ્વભાવમાં અસ્થાયી છે અને એક ક્ષણમાં અદૃશ્ય થઈ જશે; અને તે હૃદયના દુ:ખ અને કડવાશમાં સમાપ્ત થશે.
પરંતુ ખ્રિસ્તમાં હોવાનો આનંદ, દરરોજ સવારે નવો છે; અને તે ખૂબ જ અદ્ભુત અને ભવ્ય છે; અને તે આનંદ અપ્રતિમ છે. આજે, દેવ ઇસુ તમને તમારા હૃદયમાં તે આનંદ આપી રહ્યા છે.
પ્રભુ ઈસુએ કહ્યું:“મેં તમને આ વચનો કહ્યાં છે જેથી મને જે આનંદ મળે છે તે જ આનંદ તમને મળે. હું ઈચ્છું છું કે તમારો આનંદ સંપૂર્ણ થાય.” (યોહાન 15:11).
પ્રેરિત પાઊલ જેલમાં હતા ત્યારે પણ તેમણે એ આનંદ ગુમાવ્યો ન હતો. જ્યારે તેણે જેલની કોટડીમાંથી ફિલિપીઓને પત્ર લખ્યો, ત્યારે તેણે તેઓને આનંદિત થવા વિનંતી કરી. તેણે કહ્યું: “પ્રભુમાં હંમેશા આનંદ કરો. ફરીથી, હું કહીશ,આનંદ કરો!” (ફિલિપી 4:4).
દેવના બાળકો, હંમેશા અને દરેક બાબતમાં પ્રભુમાં આનંદિત રહો.
વધુ ધ્યાન માટે વચન:“આ દિવસ આપણા દેવ માટે પવિત્ર છે.દુ:ખી ન થાઓ, કારણ કે પ્રભુનો આનંદ તમારી શક્તિ છે” (નહેમ્યાહ 8:10)