Appam – Guajarati

એપ્રિલ 16 – ક્ષમાની દૈવી પ્રકૃતિ !

“એકબીજા સાથે ભલા થાઓ અને પૂર્ણ પ્રેમાળ બનો. જે રીતે ખ્રિસ્તમાં દેવે તમને ક્ષમા આપી છે તેમ તમે એકબીજાને ક્ષમા કરો.” (એફેસી 4:32).

ગઈકાલથી, અમે યુસુફના જીવનમાંથી ક્ષમાના પાઠ પર ધ્યાન આપી રહ્યા છીએ. બીજો પાઠ છે: જ્યારે તમે કોઈ વ્યક્તિને પૂરા દિલથી માફ કરો છો,ત્યારે ક્ષમાની દૈવી પ્રકૃતિ તમારા હૃદયને ભરી દે છે.તે સૌથી મોટો આશીર્વાદ છે જે તમે તમારી ક્ષમા દ્વારા મેળવી શકો છો.

યુસુફના ભાઈઓ જ્યારે તેમની હાજરીમાં આવ્યા ત્યારે તેઓ ગભરાઈ ગયા (ઉત્પત્તિ 45:3). તેઓ હતાશ અને પરેશાન હતા.

તેઓને ડર હતો કે યુસુફ, ઇજિપ્તનો શાસક હોવાથી, તેઓના તમામ અન્યાયનો બદલો લેશે. તેઓ ભયભીત હતા કે યુસુફ તેઓનો નાશ કરવા ઇજિપ્તની સેનાનો ઉપયોગ કરશે.

જ્યારે તમે ઉચ્ચ પદ પર આવો છો, ત્યારે જેમણે તમારી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું છે, તેઓ તમારાથી ડરશે. પરંતુ તેમની સાથે માયાળુ વર્તન કરો અને તેમને માર્ગદર્શન આપો, જેથી તેઓ પણ ખ્રિસ્તના દૈવી સ્વભાવથી ભરપૂર થઈ જાય.તેમની સમક્ષ કલ્વરી પ્રેમનું અનુકરણ કરો; અને ખાતરી કરો કે તેઓ ભયભીત કે પરેશાન નથી. એનાથી તમને ઈશ્વર તરફથી મહાન આશીર્વાદો મેળવવામાં મદદ મળશે.

પવીત્ર શાસ્ત્ર કહે છે, “પ્રેમમાં કોઈ ભય નથી; પરંતુ સંપૂર્ણ પ્રેમ ભયને દૂર કરે છે, કારણ કે ભયમાં યાતનાનો સમાવેશ થાય છે” ( 1 યોહાન 4:18). ગીતશાસ્ત્રી દાઉદ કહે છે, “દેવને મેં પ્રાર્થના કરી અને તેમણે મારી પ્રાર્થનાનો ઉત્તર આપ્યો.તેમણે મને જે બધી બાબતોનો ભય હતો તેમાથી છોડાવ્યો.” (ગીતશાસ્ત્ર 34:4). ” કેમ કે દેવે આપણને ભયનો આત્મા નહિ, પણ સાર્મથ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુધ્ધિનો આત્મા આપ્યો છે.” ( 2 તીમોથી 1:7).

જો તમે તમારા દુશ્મનોને માફ કરવામાં અને પ્રેમ કરવામાં નિષ્ફળ થશો, તો શેતાન તમારા હૃદયને બધી નકારાત્મકતાથી ભરી દેશે. પરંતુ જો તમે માફ કરશો અને તમારી વિરુદ્ધ ખોટું કરનારાઓનો ડર દૂર કરશો, તો તમે તમારી આત્મામાં મજબૂત થશો અને શેતાન અને તેની યોજનાઓ સામે ઊભા રહેવાની હિંમત મેળવશો.

યુસુફે પોતાના ભાઈઓને કહ્યું: “તમે મને અહીં વેચી દીધો હોવાથી તમે તમારાથી દુઃખી કે ગુસ્સે થશો નહિ; હું તમને સાચવીશ અને તમને પુરુ પાડીશ.” આ સાચી ક્ષમાની નિશાની છે.

દેવના બાળકો, જો કોઈ તમારી વિરુદ્ધ ખોટું કરે છે, તો તમારે હૃદયપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ કે તેને કોઈ નુકસાન ન પહોંચે. જ્યારે તમે તે રીતે પ્રાર્થના કરશો, ત્યારે તમને તમારી આસપાસ દેવની કૃપાનો અહેસાસ થશે. “જેમ ખ્રિસ્તે તમને માફ કર્યા, તેમ તમારે પણ કરવું જોઈએ” (ક્લોસ્સીઓ 3:13).

વધુ ધ્યાન માટે વચન: “પછી તે કહે છે:“તેઓના પાપકર્મો અને દુષ્કર્મોને હું માફ કરીશ અને ભવિષ્યમાં તે હું કદી યાદ કરીશ નહિ.” અને હવે સદાને માટે પાપ માફ થયાં છે ત્યારે પાપ મુક્તિ માટે અન્ય કોઈ અર્પણની જરુંર રહેતી નથી. (હિબ્રુ 10:17-18).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.